મુખ્ય સમાચાર
News of Friday, 20th September 2019

ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરની ચાર દિવસની મુલાકાતે : વિઝીટ બાદ સુપ્રીમ કોર્ટેને રિપોર્ટ સોંપશે

અનંતનાગ અને બારામુલામાં મજુરી કરતા લોકો સાથે મુલાકાત કરશે.

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ  જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેમને આ પહેલા બે વખત જમ્મુ કાશ્મીર જતા રોકવામાં આવ્યા હતા. ગુલામ નબી આઝાદ ચાર દિવસ જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમ્યાન અનંતનાગ અને બારામુલામાં મજુરી કરતા લોકો સાથે મુલાકાત કરશે.

   ગત દિવસે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈની ખંડપીઠે ગુલાન બનીને જમ્મુ કાશ્મીરના ચાર જિલ્લાની મુલાકાત માટે મંજૂરી આપી હતી. જેમા શ્રીનગર, જમ્મુ, બારામુલા અને અનંતનાગનો સમાવેશ થાય છે. આ મુલાકાત બાદ ગુલામ નબી સુપ્રીમ કોર્ટમાં એક રિપોર્ટ પણ સોંપશે.

(12:04 pm IST)