News of Friday, 20th September 2019
ઉતરાખંડની બધી સ્કુલોમાં ધોરણ ૩ થી ૮ સુધી સંસ્કૃત ભણાવવું થયુ અનિવાર્ય
ઉતરાખંડ સરકારએ બધી સરકારી અને ખાનગી સ્કુલોમાં ત્રીજા ધોરણથી લઇ આઠમા ધોરણ સુધી સંસ્કૃત ભાષાને અનિવાર્ય કરી દીધેલ છે.
રાજયના સ્કુલ અને સંસ્કૃત શિક્ષા મંત્રી અરવિંદ પાંડેએ આ પહેલની ઘોષણા કરતા કહ્યું કે હાલની પેઢીએ પ્રાચીન ભાષા જાણવી જોઇએ.
એમણે કહ્યું આપણે સ્વીકારવું પડશે કે સંસ્કૃતએ આપણી સંસ્કૃતિને સમૃદ્વ બનાવી છે આનાથી વિદ્યાર્થીઓને ગીતા શીખવામાં મદદ મળશે.
(10:28 pm IST)