મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

SC/ST એક્ટ હેઠળ સઘન તપાસ વગર કોઇ ધરપકડ નહી;મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

કરણીસેના દ્વારા ઉગ્ર પ્રદર્શનનાં પગલે શિવરાજસિંહે ટ્વીટ કરીને સાંત્વના આપી

 

ભોપાલ : મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતી - જનજાતી અત્યાચાર નિવારણ બિલ (એસસી-એસટી એક્ટ)ની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને આગામી વિધાનસબા ચૂંટણીને ધ્યાને રાખી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાનાં ટ્વીટર હેન્ડલ પરતી એક ટ્વીટ કરીને કહ્યું કે, એમપીમાં નહી થાય એસસી-એસટીનો દુરુપયોગ, તપાસ વગર ધરપકડ નહી થાય

 મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, મધ્યપ્રદેશમાં એસસી-એસટી એક્ટ તપાસ વગર કોઇ કાર્યવાહી નહી થાય. તેમણે કહ્યું કે, એમપીમાં એસસી-એસટી એક્ટનો દુરૂપયોગ નહી થાય

(1:00 am IST)