મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

મોદી અને શિવરાજના ફોટાવાળી ટાઇલ્સો હટાવવા મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્યો આદેશ

આવાસ યોજનામાં તમામ ઘરમાં લગાવી છે ટાઇલ્સ

 

ભોપાલ :મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા તમામ ઘરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ફોટાવાળી ટાઈલ્સ લગાવવામાં આવી છે. જેના લીધે ટાઈલ્સને લઈ વિવાદ થયો છે. ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટેની ગ્વાલિયર બેન્ચે આદેશ આપતા કહ્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા ઘરોમાંથી આવી ટાઈલ્સો હટાવી લેવામાં આવે.

(10:06 pm IST)