મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

દિલ્હી :વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ ખરેનું બ્રેઈન હેમરેજના કારણે દુઃખદ નિધન

નવી દિલ્હી :હિંદીના પ્રખ્યાત કવિ, વરિષ્ઠ સાહિત્યકાર, પત્રકાર તેમજ દિલ્હી હિંદી એકેડમીના ઉપાધ્યક્ષ વિષ્ણુ ખરેનું બુધવારે દિલ્હીના જી બી પંત હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે. વિષ્ણુ ખરેને લગભગ બે સપ્તાહ પહેલા મયૂર વિહાર સ્થિત હિંદુસ્તાન એપાર્ટમેન્ટમાં બ્રેઈન હેમરેજ થયુ હતુ. બ્રેઈન હેમરેજ સમયે તે ઘરમાં એકલા હતા. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં ભરતી હતા.

(12:00 am IST)