મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

એેમના વેપારથી મારે કોઇ સંબંધ નથીઃ ભાણેજની ધરપકડ પર મધ્યપ્રદેશના સીએમ કમલનાથની પ્રતિક્રિયા

 મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથએ ઇડી દ્વારા રૂ.૩પ૪ કરોડના બેંક ગોટાળાના મામલામાં પોતાના ભાણેજ રતુલપૂરીની ધરપકડ પર મંગળવારના કહ્યું કે એમના દ્વારા કરવામાં આવી રહેલ વ્યાપારથી મારે કોઇ સંબંધ નથી. મને આ દુર્ભાગ્યપૂર્ણ કાર્યવાહી લાગી રહી છે.

        એમણે આગળ કહ્યું મને પૂરો વિશ્વાસ છે કે કોર્ટ આ મામલામાં સુધારાત્મક વલણ અપનાવશે.

(10:26 pm IST)