News of Tuesday, 20th August 2019
પૂ.જીવરાજબાપુની સાંજે ૪ વાગ્યે પાલખીયાત્રાઃ પૂ. શામજીબાપુની સમાધી પાસે પ વાગ્યે સમાધી અપાશે
સત્તાધારમાં પૂ. જીવરાજબાપુના અંતિમ દર્શનાર્થે ભાવિકો ઉમટયા
પૂ. જીવરાજબાપુનો દેહ-વિલય થતા સતાધાર મુકામે આજે તેમના પાર્થીવદેહ દર્શનાર્થે મુકવામાં આવેલ. વ્હેલી સવારથી મોટી સંખ્યામાં ભાઇ-બહેનો, સેવકો દર્શનાર્થે ઉમટી પડયા હતા.
વિસાવદર-જુનાગઢ તા.ર૦ : સતાધારની આપાગીગા જગ્યાના પૂ. જીવરાજબાપુનો દેહવિલય થતા ઘેરો શોક છવાયો છે. પૂ.જીવરાજબાપુના પાર્થિવદેહને આજે સવારથી દર્શનાર્થે રાખવામાં આવ્યો છે.
સાંજે ૪ વાગ્યે પાલખીયાત્રા નીકળશે અને મંદિર પરિસરમાં પરિભ્રમણ કરીને સાંજે પ વાગ્યે સતાધાર આપાગીગાની જગ્યાના સ્થાનકે પૂ. શામજીબાપુ અને પૂ.જગદીશબાપુના સમાધીસ્થળ પાસે પૂ. જીવરાજબાપુને સમાધી અપાશે.
(1:15 pm IST)