તે પૂર્વમાંથી આવશે અને તેના માણસો લાલ કપડા પહેરશે
મહાન રહસ્યવાદી અને ભવિષ્યવેતા નોસ્ત્રાદેમસે ત્રણસો વર્ષ પહેલા એક ભવિષ્યવાણી કરી હતી. જેમાં તેમણે એક શિક્ષકનું વર્ણન કરતા કહ્યું હતું કે તે વ્યકિત વિશ્વમાં મોટા પાયે પરિવર્તન લાવશે. તેનો જન્મ એશિયામાં થશે. તેના લોકો લાલ કપડા પહેરશે. તે માનવતાના ઉત્થાન અને વિશ્વમાં શાંતિ લાવવા માટે દૂર દૂર સુધી પ્રવાસ કરશે. તે પૂર્વમાંથી આવશે. તેની ધરપકડ થશે, તેનું કોમ્યુન નષ્ટ કરવામાં આવશે. ઉડતુ પંખી તેનું ચિન્હ હશે અને તેના નામનો અર્થ ચંદ્ર એવો થતો હશે. ઓશોનું અસલ નામ રજનીશ ચંદ્રમોહન છે એટલે કે ચંદ્ર છે. એટલે નોસ્ત્રાદેમસ દ્વારા અપાયેલા બધા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન આપીએ તો આ બધી વાતો ઓશો માટે સચોટ રીતે લાગુ પડે છે અને પ્રમાણિત કરે છે કે જે મહાન વ્યકિત માટે નોસ્ત્રાદેમસે ભવિષ્યવાણી કરી હતી તે ઓશો જ છે.
નોસ્ત્રાદેમસ
(રહસ્યવાદી અને ભવિષ્યવેતા)