મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

સત્તાધારના પૂ. જીવરાજબાપુની સૌરાષ્ટ્ર પરગણામાં એક ભલા-ભોળા સંત તરીકેની અમીટ છાપ

પૂ.જીવરાજ ભગત ભજનાનંદી સંત : સતત ભકિતમાં લીન

વિસાવદરઃ સત્તાધારના વર્તમાન મહંત પૂ. જીવરાજબાપુની સમગ્ર સૌરાષ્ટ્ર પરગણાના એક ભલા-ભોળા અને નિર્દોષ છાપ ધરાવતા સંત તરીકેની  અમીટ છાપ શ્રધ્ધાળુઓની હદયમાં અંકિત થઇ છે. - પૂ. જીવરાજબાપુ ભજનંાનંદી સંત છે. બાલ્યાવસ્થાથી જ સત્તાધારમાં આપાગીગાના સાનિધ્યમાં પૂ. જીવરાજબાપુ સેવામાં ઓતપ્રોત છે. ભાવિકો તેમના દર્શન કરી.. આર્શિવાદ મેળવી ધન્યતા અનુભવે છે.

પૂ. જીવરાજબાપુ ભગત હંમેશા ભકિતમાં લીન હોય છે. તેમનુ ભોળાપણ-નિર્દોષતા ભાવિકોના હદયને સીધુ જ સ્પર્શી જાય છે. હંમેશા સત્તાધાર આવતા ભાવિકોને મહેમાન તરીકેનુ આગવુ માન-સન્માન આપતા પૂ. જીવરાજબાપુ ભાવિકોમાં એક મુઠી ઉચેરા સંત તરીકેનું આગવુ સ્થાન ધરાવે છે.

(12:01 pm IST)