News of Monday, 20th August 2018
કર્ણાટકમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી :વરસાદ- ભૂસ્ખલનથી છ લોકોના મોત
કોડાગૂ જિલ્લામાં અત્યાર સુધી 3,500થી વધારે લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા
બેંગ્લુરુ :કર્ણાટકમાં ભારે વરસાદથી પરિસ્થિતિ સતત વણસી રહી છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી થઈ રહેલા ભારે વરસાદ હાલ પણ ચાલુ જ છે. કર્ણાટકના કોડાગૂ જિલ્લામાં અત્યાર સુધી 3,500થી વધારે લોકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. કોડાગૂમાં પાછલા કેટલાક દિવસથી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 6 લોકોના મોત થઈ ગયા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોન પર રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે વાતચીત કરી અને ત્યાંની પરિસ્થિતિ વિશે પૂછતાછ કરી હતી
(1:10 am IST)