News of Friday, 20th July 2018
વડાપ્રધાન મોદીએ ગણાવ્યા કે વિપક્ષને શેમાં વિશ્વાસ નથી: બાલિશ હરકતો શોભતી નથી
નવી દિલ્હી :લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે વડાપ્રધાન મોદીએ તેમના 4 વર્ષની ઉપલબ્ધિઓ ગણાવતા જણાવ્યું કે વિપક્ષને શેમાં વિશ્વાસ નથી. રાહુલના ફ્રાંસ સાથેના રાફેલ ડીલ મુદ્દે કટાક્ષ કરતા જણાવ્યું કે જેમાં ખબર ના હોય તે મુદ્દે ના બોલીયે તેમાં આપણું નહીં, દેશનું હિત સમાયેલું છે. બધી જગ્યાએ બાલિશ હરકતો શોભા નથી આપતી. કોગ્રેસને સુપ્રીમ કોર્ટ, RBI, ઇલેક્શન કમિશન કશા પર વિશ્વાસ નથી.
(11:14 pm IST)