દેશમાં કોરોનાના નવા 52.277 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 76.613 દર્દીઓ રિકવર થયા : વધુ 1399 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.88.140 થયો :એક્ટિવ કેસ ઘટીને 6.98.592 થયા : કુલ કેસની સંખ્યા 2.99.33.682 થઇ
સૌથી વધુ કેરળમાં 11.647 કેસ,મહારાષ્ટ્રમા 9361 કેસ,તામિલનાડુમાં 7817 કેસ, આંધ્રપ્રદેશમાં 5646 કેસ, કર્ણાટકમાં 4517 કેસ,ઓરિસ્સામાં 3577 કેસ, પશ્ચિમ બંગાળમાં 2184 કેસ, આસામમાં 1775 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 52.277 કેસ નોંધાયા છે. જ્યારે 76.613 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 52.277 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1399 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,88.140 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 52.277 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,99.33.682 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 6.98.592 થઇ છે છેલ્લા 24 કલાકમાં 76.613 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,88.35.175 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 11.647 કેસ,મહારાષ્ટ્રમા 9361 કેસ,તામિલનાડુમાં 7817 કેસ, આંધ્રપ્રદેશમાં 5646 કેસ, કર્ણાટકમાં 4517 કેસ,ઓરિસ્સામાં 3577 કેસ, પશ્ચિમ બંગાળમાં 2184 કેસ, આસામમાં 1775 કેસ નોંધાયા છે