દેશમાં કોરોનાના નવા 45.984 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 74.043 દર્દીઓ રિકવર થયા : વધુ 1456 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.86.623 થયો :એક્ટિવ કેસ ઘટીને 7.25.402 થયા : કુલ કેસની સંખ્યા 2.98.68.774 થઇ
સૌથી વધુ મહારાષ્ટ્રમા 8912 કેસ,તામિલનાડુમાં 8183 કેસ, કર્ણાટકમાં 5815 કેસ,કર્ણાટકમાં 5674 કેસ,આસામમાં 3571 કેસ,ઓરિસ્સામાં 3427 કેસ, પશ્ચિમ બંગાળમાં 2486 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 45.984 કેસ નોંધાયા છે. જ્યારે 74.043 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 45.984 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1456 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,86.623 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 45.984 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,98.68.774 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 7.25.402 થઇ છે છેલ્લા 24 કલાકમાં 74.043 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,87.44.997 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમા 8912 કેસ,તામિલનાડુમાં 8183 કેસ, કર્ણાટકમાં 5815 કેસ,કર્ણાટકમાં 5674 કેસ,આસામમાં 3571 કેસ,ઓરિસ્સામાં 3427 કેસ, પશ્ચિમ બંગાળમાં 2486 કેસ નોંધાયા છે