મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

સિંગાપોર જતી ફલાઇટમાં તખણા ઝર્યા : ઇમર્જન્સી ઉતરાણ ૧૭૦ મુસાફરોના જીવ પડીકે બંધાયા

ચેન્નાઇ તા. ૨૦ :  તામિલનાડુના તિરુચિરાપલ્લીથી ઉડાન ભરીને સિંગાપોર જઇ રહેલી એક ફલાઇટનું ચેન્નાઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉડાન ભર્યાના થોડા સમય બાદ વિમાનમાંથી તણખા નીકળવા લાગ્યા હતા. જેને પગલે ઇમજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

વિમાનમાં કુલ ૧૭૦ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરી દેવાયું છે. વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. લેન્ડિંગ દરમિયાન એરપોર્ટ પર ફાયર બ્રિગેડને પણ તૈયાર રાખવામાં આવી હતી. આ ફલાઇટ સાંજ સુધી સિંગાપોર માટે ઉડાન ભરી શકે છે. જોકે વિમાનમાં થયેલી ખામીનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

(3:55 pm IST)