News of Monday, 20th May 2019
આજે મોદી-ભાગવત વચ્ચે બેઠક
મોદી નાગપુર સંઘના વડા મથકે જાય તેવી શકયતા
નવી દિલ્હી, તા. ૨૦ :. વડાપ્રધાન મોદી આજે સંઘના વડા મોહન ભાગવતને મળી શકે છે. મળતા સમાચારો મુજબ મોદી નાગપુર સ્થિત સંઘના વડા મથકે જશે જ્યાં તેઓ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરશે. ચૂંટણી પરિણામો પહેલાની આ મુલાકાત ઘણી મહત્વની બની રહેશે.
મોદી છેલ્લા ૪ વર્ષમાં પહેલીવાર સંઘના વડા મથકે જઈ રહ્યા છે. મોદી સાથે બેઠક યોજી તેમના આશિર્વાદ અને પીએમ પદ માટે સમર્થન મેળવે તેવી શકયતા છે. છેલ્લા કેટલાક વર્ષથી મોદીએ સંઘના હેડ કવાર્ટરથી અંતર રાખ્યુ છે અને તેઓ નાગપુર ગયા નથી
(10:27 am IST)