મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

બેંક યુનિયનોએ પી.એમ. મોદીને પત્ર લખ્યો : કહ્યું સરકાર જેટ એરવેજનુ નિયંત્રણ કરેઃ કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત કરે

         અખિલ ભારતીય બેંક કર્મચારી સંગઠનએ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને પત્ર લખી કહ્યું છે કે સરકાર જેટ એરવેજના રર૦૦૦ કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત કરે. એમણે લખ્યું બેન્કોએ સંભવિત રોકાણકારો પાસેથી બોલીઓ મંગાવી છે આ અસફળ રહેશે તો સરકાર આને પોતાના નિયંત્રણમા લે સંગઠનએ કહ્યું જેટ એરવેજને ઋણ આપવા માટે બેંકોને મજબૂર ન કરવી જોઇએ.

(11:54 pm IST)