મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

કોંગ્રેસના ધારાસભ્યની વિવાદાસ્પદ ટીપ્પણી, નરેન્દ્રભાઇ મોદીને ફાંસી પર લટકાવી દો

નવીદિલ્હી, તા.૨૦: લોકસભા ચૂંટણીમાં વિવાદિત નિવેદનો આપવાનું ખત્મ નથી થઈ રહ્યું. આ ક્રમને બરકરાર રાખતા છત્ત્।ીસગઢના ધરમજયગઢ વિધાનસભા સીટથી કોંગ્રેસના ધારાસભ્ય લાલજીત રાઠિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીને ફાંસી પર લટકાવી દેવા જોઈએ.

એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસના ધારાસભ્ય અને રાયગઢ સીટથી કોંગ્રેસના ઉમેદવાર લાલજીત રાઠિયાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. તેમનું આ નિવેદન નોટબંધી અને કાળાધનને લઈને કરવામાં આવેલું હતું. રાઠિયાએ કહ્યું કે, ખુદ પીએમએ કહ્યું હતું કે ૧૦૦ દિવસમાં કાળુ ધન પરત ન આવે તો મને ફાંસી પર લટકાવી દેજો.

(3:41 pm IST)