મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

સાધ્વી પ્રજ્ઞાએ હવે દિગ્વીજયસિંહને 'મહિષાસૂર' કહ્યા... તેમના કૂકર્મોનું પ્રમાણ હું છું!

ભોપાલના જીતેલા સાંસદે મને કહ્યું કે-દીદી આપ આવો અને મહિષાસૂરનું મર્દન કરો

નવી દિલ્હી તા. ૨૦: મુંબઇ હુમલામાં શહિદ થયેલા પૂર્વ એટીએસ ચીફ હેમંત કરકરે ઉપર વિવાદીત બયાન આપી પાછળથી બેકફૂટ પર આવી ગયેલા સાધ્વી પ્રજ્ઞાએ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભોપાલ લોકસભા સીટ ઉપર પોતાના હરિફ દિગ્વીજયસિંહ ઉપર પણ વિવાદીત ટીપ્પણી કરી છે. તેમણે દિગ્વીજયસિંહને મહિષાસૂર કહ્યા છે અને પોતાને મહિષાસૂર મર્દિની ગણાવ્યા છે. સાધ્વી પ્રજ્ઞાનું કહેવું છે જ્યારે-જ્યારે ધરતી ઉપર અત્યાચાર વધ્યા છે ત્યારે ત્યારે દેવીઓનું અવતરણ થયું છે.

(3:31 pm IST)