મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

સ્પાઇસજેટે 500 થી વધુ ક્રૂ મેમ્બરની કરી ભરતી : જેટ એરવેઝના કર્મકાહારીઓને પહેલા પ્રેફરન્સ

 

નવી દિલ્હી :જેટ એરવેઝની સેવાઓ બંધ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલાં તેનાં કર્મચારીઓ માટે રાહતનાં સમાચાર છે. ANIની ટ્વીટ મુજબ સ્પાઈસજેટે કહ્યુ છેકે, જેમ જેમ અમે ગ્રોથ કરી રહ્યા છીએ એમ અમે જેટ એરવેઝમાંથી નિરસ્ત થયેલાં કર્મચારીઓને પહેલાં પ્રેફરન્સ આપીશું

    અમે પહેલાં 100થી વધારે પાયલટ્સ, 200થી વધારે કેબિન ક્રૂ અને 200થી વધારે ટેક્નિકલ અને એરપોર્ટ સ્ટાફને હાયર કર્યા છે.

  . સ્પાઈસજેટે કહ્યુ છેકે, અમે હજી પણ વધુ સ્ટાફ હાયર કરીશું.અમે મોટી સંખ્યામાં વધુ વિમાનો જોડવાના છીએ. સ્પાઈસજેટ દરેક પગલાં ભરશે, જેનાથી યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે.સાથે અમે બિઝી સેશનમાં તે ભારતીય ગ્રાહકો માટે તત્પર છીએ જેમને સીટ મળવામાં પરેશાની થઈ રહી છે.

 

(8:40 am IST)