મુખ્ય સમાચાર
News of Friday, 20th April 2018

મુસ્લિમ સગીરાની ખતના પ્રથાને પડકારતી અરજી મુદ્દે 9મી જુલાઈએ અંતિમ સુનાવણી

કેરળ અને તેલંગણાને પક્ષકાર બનાવવા આદેશ આપ્યો

 

નવી દિલ્હી ;સુપ્રીમ કોર્ટએ દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયની સગીર છોકરીઓની ખતના પ્રથાને પડકારતી એજ જનહિત અરજી મુદ્દે  કેરળ અને તેલંગણાને પક્ષકાર બનાવવા આદેશ આપ્યો છે મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રા,ન્યાયમૂર્તિ ,એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડીવાય ચન્દ્રચૂડની એક ખંડપીઠે કહ્યું કે તેઓ અરજી પર નવ જુલાઈએ અંતિમ સુનાવણી કરશે

  પીઠે આદેશ કર્યો છે કે કેરળ અને તેલંગણા જેવા રાજ્યોને મામલામાં પક્ષકાર બનાવાય અને તેને નોટિસ મોકલી દેવાય, મામલામાં જે રાજ્યો પહેલા થી પક્ષકાર છે તેમાં મહારાષ્ટ્ર,ગુજરાત રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે .

(11:03 pm IST)