News of Friday, 20th April 2018
કાલથી ઉત્તરાખંડમાં પૂ.મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનો પ્રારંભ
રાજકોટ તા.૨૦ : પૂ.મોરારીબાપુના વ્યાસાસને કાલથી ઉત્તરાખંડમાં શ્રીરામકથાનો પ્રારંભ થશે.
કાલે સાંજે ૪ વાગ્યે પૂ.મોરારીબાપુના વ્યાસાસને ઉત્તરાખંડના અલમોરા જીલ્લાના શ્રી કલ્યાણીકા હિમાલય દેવ સતનામ આશ્રમ ખાતે સાંજે ૪ વાગ્યે શ્રીરામકથાનો પ્રારંભ થશે અને સાંજના ૭ વાગ્યા સુધી પૂ.મોરારીબાપુ શ્રીરામકથાનું રસપાન કરાવશે.
તા. રર ને રવિવારથી તા. ૨૯ને રવિવાર સુધી દરરોજ સવારના ૯:૩૦ થી ૧:૩૦ સુધી પૂ.મોરારીબાપુ શ્રીરામકથાનું રસપાન કરાવશે.
આસ્થા ચેનલ ઉપર શ્રીરામ કથાનું જીવંત પ્રસારણ કરાશે.
(11:45 am IST)