સર,નોટબંધીના 18 મહિના બાદ પણ ATMમાં પૈસા નથી :રોકડ સંકટ મામલે મોદી સરકારને ઘેરતા શત્રુઘ્નસિંહા
નવી દિલ્હીઃ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ દેશમાં ઉભા થયેલા રોકડના સંકટને લઈને મોદી સરકારને ઘેરી છે. પટના સાહિબથી સાંસદ સિન્હાએ ટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછ્યો, 'સર, નોટબંધીના 18 મહિના બાદ પણ ATMsમાં પૈસા નથી. સામાન્ય જનતા પ્રશ્ન કરી રહી છે, આ શું થઈ રહ્યું છે!'
શુત્રુધ્ન સિન્હાએ સતત ટ્વીટ કરીને કહ્યું, વડાપ્રધાને કહ્યું હતું કે 'કાળું ધન, આતંકવાદને મૂળમાંથી ઉખેડવા માટે નોટબંધી એક અલ્પકાલિન ઉપાય હતો', ત્યારબાદ સારા દિવસો આવી જશે. સર, નોટબંધીના 18 મહિના બાદ પણ એટીએમમાં પૈસા નથી. આમ આદમી સવાલ કરી રહ્યો છે, આ શું થઈ રહ્યું છે.
તેમણે આગળ કહ્યું, શું આપણે સમયથી પહેલા ચૂંટણી તરફ જઈ રહ્યાં છીએ? કર્ણાટકથી લઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જય, પછી તે ઈવીએમની મદદથી હોય કે તેના વગર. ભલે અમારા એટીએમ ખરાબ હોય કે તેમાં પૈસા ન હોય, અમારા ટીટીએમ (લાલુ પ્રસાદના શબ્દોમાં તાબડતોડ માલિશવાળા) આકરી મહેનત કરી રહ્યાં છે... જય હિંદ