મુખ્ય સમાચાર
News of Friday, 20th March 2020

કોરોના ઈફેક્ટ :રાજકોટ એસ ટી વિભાગનો નિર્ણય:આંતર રાજ્ય એસટી સેવા બંધ રહેશે

રાજસ્થાન જતી ઉદયપુર અને મહારાષ્ટ્રમાં જતી નાશિક બસ રૂટનું સંચાલન બંધ

રાજકોટ : સમગ્ર વિશ્વ માં જયારે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટ એસ ટી વિભાગે પણ આ અંગે સર્તકતા દાખવી રાજકોટ થી જતી આંતર રાજ્ય બસ સંચાલન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જે સંદર્ભે ગોંડલથી રાજસ્થાન જતી ઉદયપુર અને મહારાષ્ટ્રમાં જતી નાશિક બસ રૂટનું સંચાલન બંધ કરેલ છે અને એસ ટી તંત્ર નો આદેશ હશે  તો એક્સપ્રેસ સંચાલન પણ બંધ કરવામાં આવશે તેમ ડેપો મેનેજર જે આર અગ્રાવત દ્વારા જણાવાયુ હતું.

(12:44 am IST)