દુર્યોધન મંદિરમાં ભકતે ચડાવી ૧૦૧ ઓલ્ડ મન્ક દારૂની બોટલો
કોચીન તા ૨૦ : કેરળના કોલ્લમમાં દુર્યોધન મંદિર આવેલું છે. આ મંદિરમાં લોકો દારૂની બોટલો ચડાવી જાય છે. ગયા શુક્રવારે મંદિરમાં વાર્ષિકોત્સવ હતો. આ પ્રસંગેએક ભકતે ૧૦૧ ઓલ્ડ મન્ક રમની બોટલ ચડાવી હતી. આ અનોખા મંદિરનું નામ છે પોરૂવઝી મલનાડ દુર્યોધન મંદિર. દક્ષિણ ભારતનું આ એકમાત્ર એવું મંદિર છે, જયાં દુર્યોધનને ભગવાન માનીને તેની મુર્તિને દારૂની બોટલો ચડાવી શકાય છે. એવી માન્યતા છે કે, આ ગામમાં એકવાર દુર્યોધન આવ્યા હતા અન ેતેમને બહુજ તરસ લાગી હતી. ગામના એક ઘરે જઇને તેમણે પાણી માંગ્યું તો એના બદલામાં તેમને થોડીક તાડી મળી. એ પીને દુર્યોધન બહુ ખુશ થયા હતા.મંદિરના સંચાલકનું કહેવું છે કે ''પહેલા અહીં અરક ચડાવવામાં આવતી હતી, પરંતુ એના પર પ્રતિબંધ લાગતાં દુર્યોધનના મંદિરમાં વિદેશી દારૂ જ ચડાવાય છે. એ ઉપરાઁત લોકો પાન, ચિકન, બકરી અને સિલ્કનું કપડું પર ચઢાવા રૂપે મુકી જાય છે. દરેક ધર્મના લોકો આ મંદિરે આવે છે અને દેવતાને ખુશ કરવા ભેટ ચડાવે છે. દુર્યોધનના આ મંદિરની બીજી ખાસિયત એ છે કે અહીં ગર્ભગૃહ નથી, અહીં માત્ર એક ઉંચુ પ્લેટફોર્મ છ ે જે ૨૪ કલાક ખુલ્લું રહ ેછે''