બાળકોના સ્વસ્થ અને ખુશહાલ જીવનના મામલામાં ભારત ૧૩૧ માં સ્થાન પર : રીપોર્ટ
સંયુકત રાષ્ટ્ર સમર્થિત એક રિપોર્ટ આવ્યો છે જેના મુતાબિક સંવહનીયતા સૂચકાંક (સસ્ટેનેબિલીટી ઇન્ડેકસ) ના મામલામા ભારત ૭૭ માં સ્થાન પર છે. અને બાળકેની ઉત્તરજીવિતા, પાલન પાોષણ તથા ખુશહાલીથી સંબંધિત સૂચકાંક (ફલોરિશિંગ ઇન્ડેકસ) મા એનુ સ્થાન ૧૩૧ મું છે. સંવહનીયતા સૂચકાંક પ્રતિ વ્યકિત કાર્બન ઉત્સર્જનથી જોડાયેલ છે. જયારે ખુશહાલી સંુચકાંકનો સંબંધ કોઇપણ રાષ્ટ્રમાં બાળકોની ઉત્તર જિવિતા પાલન, પોષણ, તથા તેના કલ્યાણ સાથે છે. દુનિયાભરના ૪૦ થી વધારે બાળ અને કિશોર સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના એક આયોગએ બુધવારના એક રીપોર્ટ જારી કરેલ છે.
આ શોધ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, સંરા બાલકોષ તથા દિલાસેટ મેડીકલ જર્નલના સંયુકત તત્વધાનમાં રિપોર્ટમા ૧૮૦ દેશોની ક્ષમતાનું આકલન કરવામા આવ્યુ છે કે તે આ રીપોર્ટના મુતાબીક સંવહનીયતા સૂચકાંક મામલામાં ભારતનુ સ્થાન ૭૭ મુ અને ખુશહાલ મામલામા ૧૩૧ મુ છે. ખુશહાલી સૂચકાંકમા આવે છે માતા અને પાંચ વર્ષથી ઓછી ઉમરના બાળકોની ઉત્તરજિવીતા, આત્મહત્યા દર, માતૃ અને શિશૂ સ્વાસ્થ્ય સુવિધા, બુનિયાદી સાફ-સફાઇ અને ભીષણ ગરીબીથી મુકિત વગેરે.
ઉત્તર જિવિતા, સ્વાસ્થ્ય, શિક્ષા અને પોષણ દરોના મામલામા નોર્વે પહેલા સ્થાન પર છે આ પછી દક્ષિણ કોરીયા, નેધરલેન્ડ, મધ્ય આફ્રિકી ગણ રાજય અને ચાડ છે.