હવે હનુમાન જન્મ સ્થળે કર્ણાટકના ક્રિષ્કિંધામાં બનશે દાદાની ર૧પ ફુટ ઉંચી પ્રતિમા
રામજન્મભુમી ટ્રસ્ટના પગલે બન્યું હનુમાન જન્મભુમી ટ્રસ્ટઃ ૧૦ એકરમાં બનશે મંદિર
નવી દિલ્હી, તા., ર૦: કર્ણાટકના હમ્પી સ્થિત હનુમાન જન્મભુમી ટ્રસ્ટ હનુમાનજીની વિશાળકાય પ્રતિમા બનાવવાની યોજના બનાવી રહયું છે. આ પ્રતિમા તેમના જન્મસ્થાન ક્રિષ્કિંધામાં બનાવવામાં આવશે અને તે ર૧પ ફુટ ઉંચી હશે. આ હનુમાનજીની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા હશે. આ ટ્રસ્ટ શ્રીરામ જન્મભુમી ટ્રસ્ટના પગલે ચાલી રહયું છે.
પ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ જયારે રામજન્મભુમી ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી તે જ દિવસે કર્ણાટક હનુમાન જન્મભુમી તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પણ રચના થઇ હતી. આ ટ્રસ્ટના અધ્યક્ષ ગોવિંદાનંદ સરસ્વતી છે.
અયોધ્યામાં રરપ ફુટ ઉંચી શ્રીરામની પ્રતિમા બનાવાશે. તેજ રીતે અમે હનુમાનજીની સૌથી ઉંચી પ્રતિમા લગાવવાનો નિર્ણય લીધો છે પણ આ પ્રતિમા રામની પ્રતિમાથી ૧૦ ફુટ નાની હશે જેને તાંબાથી બનાવાશે. ટ્રસ્ટ પ્રતિમા અને મંદિર માટે ૧૦ એકર જમીન પણ ખરીદશે.