૧૬ વર્ષની સગીરા પર ત્રણ યુવકોએ કર્યો બળાત્કાર અને બાદમાં ઝાડ પર લટકાવી દીધી
લખનૌ, તા.૨૦: ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાના જેતપુર શહેરમાં એક ૧૬ વર્ષિય કિશોરીની લાશ ઝાડ સાથે લટકેલી મળી હતી. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે તેમની યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત યુવતીના પરિવારે ડીએમના બંગલાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓને કડક સજાની માંગ કરી હતી.
ખરેખર ઘરની બહાર નીકળેલી યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં ઝાડ પરથી લટકતી મળી હતી. પરિવારે સનસનાટીભર્યા આરોપ લગાવ્યો છે કે ગામના ત્રણ દબંગાઓએ તેમની પુત્રીનું અપહરણ કર્યા બાદ બળાત્કાર અને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સગીર પુત્રી બજાર જવા માટે દ્યરેથી નીકળી હતી. રસ્તામાં ગામના ત્રણ દબંગોએ તેનું અપહરણ કર્યું હતું અને તેની હત્યા કર્યા બાદ લાશને ઝાડ પરથી લટકાવી દીધી હતી.
પોલીસ અધિક્ષક આર.કે. ગૌતમે જણાવ્યું હતું કે, કિશોરની લાશ ઝાડ પર લટકતી મળી હતી, ત્યારબાદ પોલીસ દરેક પાસાની તપાસ ખૂબ જ નજીકથી કરી રહી છે.
પરિવારની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમજ કિશોરીનું પોસ્ટ મોર્ટમ બે ડોકટરોની પેનલ દ્વારા કરાયું છે. કેસની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે તથ્ય બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.