મેઘાલયમાં પીએમ વિરુદ્ધ પોસ્ટ લખવા બાબતે પત્રકારને જેલ મામલે રાહુલ ગાંધીએ ઉઠાવ્યો આવાજ : લખ્યો પત્ર
વિરોધના અવાજને દબાવવાનો પ્રયત્ન: દેશના વિનાશક દળો ભારતના વિચારોને બર્બાદ કરી રહ્યું છે
મેઘાલયમાં કોલસાની ખાણમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું તેના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો હવે ઈમ્ફાલનાં પત્રકાર કિશોર ચંદ્ર વૈંગખેમની ધડપકડ કરી તેને જેલમાં પૂર્યો તેના પર રાહુલ ગાંધીએ કડક વલણ અપનાવ્યું છે કિશોરને એનએસએ એક્ટ હેઠળ ધરપકડ કરી જેલમાં પૂરવામાં આવ્યો છે, જેને રાહુલ ગાંધીએ જાતે પત્ર લખ્યો છે.
રાહુલ ગાંધીએ કિશોરને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ વિરોધના અવાજને દબાવવાનો આ એક બીજો પ્રયત્ન છે, જેમાં રાજ્ય સરકારનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા મહિનામાં આપણે જોયું તેમ કેવી રીતે ભાજપ મણિપુરના લોકોના બંધારણીય અધિકારો પર પ્રહાર કર્યો. દેશને તોડનારી તાકતો સતત હિંસાનો માર્ગ અપનાવી રહી છે, જે લોકો સરકાર સામે સવાલ ઉભો કરે છે તેમને જેલમાં મોકલવામાં આવે છે.
તેમણે લખ્યું હતું કે દેશના વિનાશક દળો ભારતના વિચારોને બર્બાદ કરી રહ્યું છે, કે જે પણ આ દળો વિરુદ્ધ પ્રશ્ન ઉભા કરી રહ્યા છે તેમને જેલમાં પુરવામાં આવી રહ્યા છે. નોંધપાત્ર છે કે કિશોર સ્થાનિક ન્યુઝ ચેનલમાં એંકર છે, જેને એનએસએ હેઠળ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એક વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. તેમણે ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સામાજિક મીડિયા પર એક પોસ્ટ લખી હતી, જેના પછી તેની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી