મુખ્ય સમાચાર
News of Friday, 19th November 2021

ખેડૂત આંદોલન ચાલુ રહેશેઃ રાકેશ ટિકૈત

નવી દિલ્‍હીઃ વડાપ્રધાને દેશને સંબોધન કરી ભલે ત્રણેય કૃષિ કાનૂન પાછા ખેંચી લેવાનું એલાન કર્યુ અને ખેડૂતોને આંદોલન સમાપ્‍ત કરવા અપીલ કરી પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈત હજુ પણ આંદોલન સમાપ્‍ત કરવાના મૂડમાં નથી. ભારતીય કિસાન યુનિયનના નેતા ટિકૈતે કહ્યુ છે કે, કિસાન આંદોલન સમાપ્‍ત નહિ થાય, સાથાસોથ સરકાર પાસે એક માંગણી પણ કરી. તેમણે કહ્યુ છે કે સંસદ ત્રણેય કાયદા પાછા ખેંચે તેની રાહ જોઈશું. સરકાર એમએસપીની સાથે સાથે ખેડૂતોના બીજા મુદ્દા ઉપર પણ વાતચીત કરે. વિજળી કાનૂનના મુદ્દે પણ વાતચીત કરવી જોઈએ.

 

(10:54 am IST)