News of Tuesday, 19th November 2019
ભારતના પંજાબમાં ૪ હજાર મેગાવોટ પાવર પ્લાન્ટનું નિર્માણ કરાશેઃ ઇન્ડિયન અમેરિકન શ્રી ચિરંજીવ કથુરીઆ વતનની વહારે
પંજાબઃ ભારતના પંજાબના વતની ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી ચિરંજીવ કથુરીઆએ પોતાના વતન પંજાબમાં ૪ હજાર મેગાવોટનો પાવર પ્રોજેકટ નિર્માણ કરવાનું નક્કી કર્યુ છે. જેનાથી રાજયમાં એક હજાર બાયોમેસ એનર્જીનું ઉત્પાદન થશે.
આ ૪ હજાર મેગાવોટ પાવર પ્લાન્ટમાં ૩ હજાર મેગાવોટ સોલાર પાવરથી નિર્માણ પામશે. તથા બાકીના એક હજાર મેગાવોટ ડાંગર અને ઘઉંના પાકમાંથી નિર્માણ પામશે આ પ્રોજેકટથી નિર્માણ થનારો પાવર સ્ટેટ પાવર કોર્પો. ખરીદી શકશે.
(8:16 pm IST)