મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

ગાયકો-સંચાલક-કવિ-દિગ્દર્શકનું 'અકિલા પરિવાર' તરફથી સન્માન

ટશન ગુજરાત પુર્ણ થયા બાદ પરંપરા મુજબ 'અકિલા પરિવાર' વતી મૌજે ગુજરાત ઇવેન્ટને મોજીલી બનાવનારા ગાયક કલાકારો હિમાલી વ્યાસ નાયક, આદિત્ય ગઢવી, પ્રહર વોરા તથા સંચાલક મિલીન્દ ગઢવી, વિરલ રાચ્છ તથા કવિ લેખક ડો. રઇશ મણિયારનું હિરેન સુબાએ મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યુ હતું. આ ઉપરાંત પિયુષ ખખ્ખરનું અને હિરેન સુબાનું પણ સન્માન થયું હતું. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. (અહેવાલઃ ભાવેશ કુકડીયા, તસવીરઃ સંદિપ બગથરીયા)

 

(3:09 pm IST)