News of Tuesday, 19th November 2019
પવાર સાહેબનું કદ મોટું: પીએમ પણ તેમના વખાણ કરી શકે છે. પરંતુ તેમને સમજવામાં જન્મો વીતી જશે.: સંજય રાઉત
ખેડૂતોના મુદ્દે પવારની અધ્યક્ષતામાં થશે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત
મુંબઈ : શિવસેના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે પવાર સાહેબનું કદ મોટું છે. PM તેમના વખાણ કરી શકે છે. પરંતુ તેમને સમજવામાં જન્મો વીતી જશે.
સરકાર બનાવવાને લઈને સંજય રાઉતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેમને સમજવામાં જન્મો લાગી જશે. તેમના કહેવાના આધારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સરકાર બની શકે છે. સંસદમાં પીએમ મોદીએ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વખાણ કર્યા હતા.
પીએમ મોદીના ભાષણ બાદ રાજનીતિમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી હતી. સંજય રાઉતે તેની પર ક્હુ્યું કે અમે ખેડૂતોના મુદ્દા પર પીએમ મોદી સાથે મુલાકાત કરીશું, આ મુલાકાત શરદ પવારની અધ્યક્ષતામાં થશે.
(12:18 pm IST)