News of Tuesday, 19th November 2019
લતા મંગેશકરની તબીયતમાં સુધારો
મુંબઈઃ શ્વાસ લેવામાં તકલીફ પછી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ સ્વર કિન્નરી લતા મંગેશકરના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. ડોકટરોની દેખરેખમાં લતાજીનો ઉપચાર ચાલી રહ્યો છે. તેમની ભત્રીજી રચનાના જણાવ્યા મુજબ તેમની તબિયત સારી થઈ રહી છે, સાથો- સાથ સોશ્યલ મિડીયાની ખબરો ઉપર પણ વિશ્વાસ ન કરવા જણાવેલ.
(11:51 am IST)