અંતરિક્ષથી સરહદોની દેખભાળઃ ઇસરોની હરણફાળ
હવે દુશ્મનોની ખેર નથીઃ ભારતીય સરહેદ સુરક્ષા બમણી થશે સરહદની સુરક્ષા માટે ઉપગ્રહો મહત્વના સાબિત થશેઃ ૨૫ નવેમ્બર થશે લોન્ચ
નવી દિલ્હી તા. ૧૯ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) હવે અર્થ ઓબ્ઝર્વેશન / સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરવા જઇ રહ્યું છે. જેમાં પ્રથમ આગામી રપ નવેમ્બરે અને બીજો ર ડીસેમ્બરે લોન્ચ કરાશે. આ સેટેલાઇટસને સરહદી સુરક્ષા માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે.
આ સિવાઇ પીએસએવી રોર્કેટ દ્વારા ૩ પ્રાઇમરી સેટેલાઇટ, બે ડઝન વિદેશી નૈનો સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ પણ છોડવામાં આવશે.
રપ નવેમ્બરે સવારે ૯ અને ર૮ મિનિટે પીએસએલવી, સી.-૪૭ રોકેટ દ્વારા આ ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવશે.
જેમાં થર્ડ જનરેશનનો અર્થ ઇમેજીંગ સેટેલાઇટ કાર્ટોસેટ-૩ અને અમેરિકાના ૧૩ કોમર્શીયલ ઉપગ્રહો પણ છોડવામાં આવશે.
કાર્ટસેટ-૩ને પૃથ્વીથી પ૦૯ કી.મી.દૂર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
એ પછી ઇસરો રીસૈટ-ર બીઆર વન અને રીસૈટ ર બીઆર ટુ, એમ બે જાસુસી/સર્વેલાન્સ સેટેલાઇટ લોન્ચ કરશે.
પીએસએલવી ૪૮ અને સી ૪૯ ની મદદથી ડિસેમ્બરમાં શ્રી હરિકોટાથી આ બે ઉપગ્રહ લોન્ચ થશે.
આ વર્ષમાં બધા જ સેટેલાઇટ લશ્કરી ઉદેશ્યથી જ છોડવામાં આવ્યા છે.