મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

''જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ'': યુ.એસ.ના પેકોઇમા મુકામે ખાલસા કેર ફાઉન્ડેશનને ''૨૦૧૯ નોનપ્રોફિટ ઓફ ધ ઇયર''નો ખિતાબઃ છેલ્લા દસકાથી કરાતી કોમ્યુનીટી સેવાની કદર

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કોમ્યુનીટી સેવા માટે કાર્યરત ''ખાલસા કેર ફાઉન્ડેશન (KCF)ને ''૨૦૧૯ નોનપ્રોફિટ ઓફ ધ ઇઅર'' ખિતાળ એનાયત કરાયો છે.

કેલિફોર્નિયા એશોશિએશન ઓફ નોનપ્રોફિસટસ દ્વારા ૩૯મા  એસેમ્બલી ડીસ્ટ્રીકટમાં સેવાકીય પ્રવૃતિઓ માટેનો આ ખિતાળ એસેસમ્બલીમેન લુઝ એમ.રિવાસના વરદ હસ્તે KCFના પ્રતિનિધિ શ્રી એસ.બલદેવસિંઘને પેકોઇમા મુકામે એનાયત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દસકાથી સ્થપાયેલ KCF દ્વારા જરૂરિયાતમંદ લોકોને દર શુક્રવારે ભોજન પુરૂ પાડવામાં આવે છે તેમજ વિનામૂલ્યે હેલ્થફેરના આયોજનો કરવામાં આવે છે.

આ તકે ઉપસ્થિત KCFના મેમ્બર્સએ ''જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ''ના નાદથી ખિતાળને વધાવી લીધો હતો.

(8:00 pm IST)