સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વની ઘટનાઓ
ભારતમાં સામાન્ય વારસો, સાંસ્કૃતિક સમાવેશ તથા પરસ્પર સહિષ્ણુંતા પ્રત્યે ગાઢ શ્રદ્ધા રહી છે. પછી ભલે એમનો ધાર્મિક વિશ્વાસ ગમેતે હોય, અને આ જ વાત નિમ્નલિખિત ઘટનાઓથી સિદ્ધ થાય છે.
મુસ્લિમો દ્વારા મંદિરની દેખરેખ રાખવામાં આવે છેઃ- ઉત્તરપ્રદેશના મુઝફફરપુર જિલ્લામાં લડ્ઢેવાલામાં એક મંદિરની સારસંભાળ, દૈનિક સાફ- સફાઈ અને સમયાનુસાર એનું રંગરોગાન ચિત્રકામ વિગેરે સ્થાનિક મુસ્લિમ નાગરિકો દ્વારા કરવામાં આવે છે. સને ૧૯૯૦માં બાબરી મસ્જીદના ધ્વંસ બાદ હિન્દુઓએ ઉકત મંદિરનો ત્યાગ કરી દીધો હતો. મુસ્લિમો એ દિવસની અધીરાઈપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે કે, જયારે એમના હિન્દુ ભાઈઓ ત્યાં જઈને પોતાનું ધાર્મિક અનુષ્ઠાન કરશે.
એક હિન્દુ દ્વારા એક મસ્જીદની સાર- સંભાળઃ- ઉત્તરપ્રદેશના મુઝફફરનગર જિલ્લામાં આવેલા નન્હેડા ગામના એક હિન્દુ રાજમિસ્ત્રી સ્થાનિક મુસ્લિમ નાગરિકોની ગેરહાજરીમાં એક ૧૨૦ વર્ષ જૂની પુરાણી મસ્જિદની દેખભાળ રાખી રહ્યા છે. ઉકત રાજમિસ્ત્રી આ મસ્જીદની સારસંભાળ, દૈનિક સાફ- સફાઈ અને સમયાનુસારએનું રંગરોગાન વિગેરે કરાવે છે.
હનુમાનની ભકિતમાં કવ્વાલીઃ- ગુજરાત સ્થિત વડોદરાના તરસાલીમાં એક હનુમાન મંદિરમાં ૨ કલાકની કવ્વાલીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પવનપુત્રની ઉપાસનામાં કવ્વાલોએ મધુર કવ્વાલીઓ ગાઈ. આ મંદિરમાં પ્રત્યેક શનિવારે ૫૦૦ મુસ્લિમો સહિત લગભગ ૩૦૦૦ લોકો પ્રાર્થના કરે છે. હનુમાનચાલિસાનો પાઠ કરે છે અને હનુમાનજીના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. આ આંતરધાર્મિક સહિષ્ણુંતા અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ છે.