મુખ્ય સમાચાર
News of Monday, 19th November 2018

ઉ.પ્રદેશમાં જાહેર થયું આતંકી અજમલ કસાબનું જાતિ-રહેઠાણ પ્રમાણપત્ર : તંત્રમાં ભૂકંપ

યુપીની સરકારી ઓફિસોમાં થોડા પૈસા આપી કોઇ પણ નકલી સર્ટીફિકેટ બનાવી શકાય છે

લખનૌ તા. ૧૯ : ઉત્તર પ્રદેશના ઓરૈયા જીલ્લામાંથી મુંબઈ હુમલાના આતંકી અજમલ કસાબનું કથિત રીતે રહેઠાણ અને જાતી પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્‍યું છે. આ લાપરવાહીથી અધિકારીઓની રેવડી દાણા દાળ થઈ ગઈ છે. આ મામલો સામે આવ્‍યા બાદ સંબંધિત લેખપાલને નિલંબિત કરી દેવામાં આવ્‍યો છે. સાથે, આતંકી કસાબના જાતી અને રહેઠાણ પ્રમાણપત્રને રદ કરી દેવામાં આવ્‍યું છે. ઓનલાઈન અરજીકર્તા વિરુદ્ધ પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્‍યા છે.

અંગ્રેજી સમાચારપત્ર ઈન્‍ડીયન એક્‍સપ્રેસના સમાચાર અનુસાર, આ મામલો ઔરેયાના બિઘૂના તહસીલનો છે. કસાબનું જાતી અને રહેઠાણ પ્રમાણપત્ર ૨૧ ઓક્‍ટોબર ૨૦૧૮ની તારીખે જાહેર કરવામાં આવ્‍યું છે. આમાં કસાબનું જન્‍મ સ્‍થળ આંબેડકરનગર ગામ બચાવવામાં આવ્‍યું છે.

આ ઘટનાથી યૂપી સરકારની સક્રિયતા પર પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ મામલા બાદ એ વાતનો ખુલાસો થઈ ગયો છે કે, યૂપીની સરકારી ઓફિસોમાં થોડા પૈસા આપી કોઈ પણ નકલી સર્ટીફિકેટ બનાવી શકાય છે. તમને જણાવી દઈએ કે, આતંકી અજમલ કસાબને ૨૬/૧૧ના આતંકી હુમલામાં જીવતો પકડવામાં આવ્‍યો હતો.

૨૦૦૮માં  મુંબઈ હુમલા સમયે અજમલ આમિર કસાબને આસિસ્‍ટન્‍ટ સબ ઈન્‍સપેક્‍ટર તુકારામે જીવતો પકડી લીધો હતો. કસાબે પોતાને પકડમાંથી છોડાવવા માટે ઈન્‍સપેક્‍ટર તુકારામને ગોળી પણ મારી હતી. પરંતુ લોહીથી લથપથ તુકારામે કસાબને છોડ્‍યો ન હતો. બાદમાં તે કસાબે મારેલી ગોળીથી શહીદ પણ થયા હતા. જે સ્‍થાન પર કસાબને પકડવામાં આવ્‍યો હતો, તે જગ્‍યા પર તેમની મૂર્તી પણ લગાવવામાં આવી છે.

૨૬/૧૧ના હુમલામાં દોષી અજમલ કસાબને ૨૨ નવેમ્‍બર ૨૦૧૨ના રોજ પૂણેની યરવાડા જેલમાં ફાંસી આપવામાં આવી હતા. અજમલ કસાબને ઓપરેશન બુદ્ધા સ્‍માઈલ હેઠળ ફાંસી આપવામાં આવી હતા. મોતની સજા બાદ તેને જેલમાં જ દફન કરવામાં આવ્‍યો હતો.

(10:53 am IST)