મુખ્ય સમાચાર
News of Monday, 19th November 2018

કોંગ્રેસ લોકશાહી પાર્ટી નથી :ગાંધી નહેરુ પરિવારની પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી છે :મધ્યપ્રદેશમાં અમિતભાઇ શાહના પ્રહાર

ચુરહટ : વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહે રવિવારે મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલીઓ સંબોધિત કરી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર તીખો શાબ્દિક પ્રહાર કર્યો હતો

   . મધ્યપ્રદેશના ચુરહટમાં ચૂંટણીની જનસભા સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાસે ન કોઇ નેતા છે ન તો કોઇ નીતિ અને ન તો કોઇ સિદ્ધાંત છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ લોકશાહી પાર્ટી નથી, જે ત્યાં સેનાપતિનિ પસંદગી કરે. કોંગ્રેસ નેહરૂ ગાંધી પરિવારની પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી છે. જેના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે. જે માત્ર ગાંધી પરિવારમાંથી હોય છે. કોઇ અન્ય પાર્ટી અધ્યક્ષ બની શકે નહી.

(12:00 am IST)