રાહુલ ગાંધીની હરિયાણામાં રેલીને સંબોધવાની ઈચ્છા નો'તી?: સોનીયાના કહેવાથી મહેન્દ્રગઢ ગયેલ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધી અચાનક બિમાર પડતા મુશ્કેલી સર્જાયેલ
નવીદિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધી ગઈકાલે હરિયાણની રેલી સંબોધવાના હતા પણ તેઓ અચાનક બિમાર પડતા રાહુલે રેલીને સંબોધન કરેલ. સોનીયા ગાંધીના કહેવાથી રાહુલ હરિયાણા રેલી સંબોધન માટે તૈયાર થયા હતા. રાહુલે હરિયાણામાં ફકત ફરીદાબાદના નુંહમાં જ રેલી સંબોધી હતી. ત્યારે પણ રાહુલ ગાંધી અને ભુપેન્દ્રસિંહ હુડ્ડાએ નજર પણ મિલાવી ન હતી. જો કે મહેન્દ્રગઢથી કોંગ્રેસી ઉમેદવાર આ સ્થિતિથી મુશ્કેલીમાં મુકાયા હતા. કેમ કે રાહુલ ચુંટણી ભાષણમાં સ્થાનીક મુદ્દાઓને ઓછા અને અન્ય મુદ્દાઓ વિશે વધુ બોલે છે. હવે જયાં સુધી સોનીયા ગાંધી સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી પ્રચાર માટે કોંગ્રેસ નેતાઓએ રાહુલ ઉપર આધાર રાખવો પડશે.ઉપરાંત રાહુલની પણ રેલીમાં જવાની ઈચ્છા ન હોવાનું ઓફ રેકોર્ડ જાણવા મળેલ છે.