પતિયાળામાં ચાટવાળાને ત્યાં ઈન્કમટૅક્સનો દરોડો :અઘોષિત કરોડપતિ નીકળ્યો રિયલ એસ્ટેટમાં પણ મોટું રોકાણ
નવી દિલ્હી: પતિયાલાનો એક ચાટવાળો પર ઇનકમ ટેક્સે દરોડો પાડ્યો હતો તે ચાટવાળો 1,2 કરોડની બીનસત્તાવાર સંપત્તિનો માલિક નીકળ્યો હતો. પતિયાલાના પ્રખ્યાત ચાટવાળા પર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ મારી તો તે અઘોષિત કરોડપતિ નીકળ્યો.હતો
બુધવારે ઇનકમ ટેક્સનાં અધિકારીઓએ પટિયાલાનાં પ્રખ્યાત ચાવાળાને ત્યાં છાપો માર્યો હતો. અધિકારીઓને શંકા હતી કારણ કરે તે છેલ્લા બે વર્ષથી તેનું ઇન્કમ ટેક્સ ફાઇલ કરતો ન હતો. ITવિભાગ દ્વારા તેની સંપત્તિ પર સર્વે થયો ત્યારે તેની બીનસત્તાવાર સંપત્તિ સામે આવી. ચાટવાળાની અઘોષિત સંપત્તિ સામે આવ્યા બાદ હવે તેણે આશરે 52 લાખ રૂપિયાનો ઇનકમ ટેક્સ ચુકવવો પડશે.
ITની આ તપાસમાં માલૂમ થયુ કે ચાટની દુકાનનો આ માલિક રિઅલ એસ્ટેટમાં પણ ખુબ પૈસો લાગવતો હતો. આ ચાટવાલાની એક પટિયાલામાં સરહિંદ રોડ પર બુકિંગ ઓફિસ પણ છે. જ્યાં તે લગ્ન અને અન્ય અવસર પર ઓર્ડર લે છે.