News of Saturday, 19th September 2020
એલઓસીથી જોડાયેલ ગુરેજ સેકટરમાં દહેશતનો માહોલઃ પાક ગોલાબારીએ તબાહી મચાવી દીધી
એલઓસીથી જોડાયેલ ગુરેજ સેકટરમાં જબરદસ્ત દહેશતનો માહોલ છે છેલ્લા એક અઠવાડિયાથી પાક ગોલાબારીને કારણ થયેલ ક્ષતિ પછી લોકોને સુરક્ષિત સ્થાનો પર જવાનું શરૂ કર્યું છે. નાપાક ગોલાબારી એમના ઘરો અને પશુધનની તબાહી કરી રહ્યા છે.
સમચારો મુતાબિક પાકિસ્તાની સેનાએ એલઓસીથી જોડાયેલ બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેકટરમાં એલઓસી પાસે અગ્રિમ વિસ્તારોમાં ગોલાબારી કરી ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો. પાક સેના લગભગ છ દિવસથી તોપખાનાના મોઢા ખોલીને બેઠી છે.
(12:22 am IST)