News of Wednesday, 19th September 2018
આઝાદ ભારતની પહેલા આઈએએસ અધિકારી અન્ના રાજમનું દુઃખદ નિધન
આઝાદી બાદ દેશના પહેલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રાનું 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. સોમવારે મુંબઈના અંધેરી સ્થિત ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અન્ના રાજમ મલ્હોત્રાનો જન્મ જુલાઈ 1927 માં કેરળના એર્નાકુલમ જિલ્લામાં અન્ના રાજમ જ્યોર્જ રૂપે થયો હતો. તેએ મલયાલમ લેખક પાએલો પોલની પૌત્રી હતા. તેમણે આરએન મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા.
(6:05 pm IST)