દેશમાં વરસાદની દસ ટકા ઘટ : દુષ્કાળના સંકેત
જૂનથી સપ્ટેમ્બરમાં અપેક્ષા મુજબનો વરસાદ પડયો નથી
નવી દિલ્હી તા. ૧૯ : દેશમાં ચાલુ વર્ષમાં વરસાદની ઘટ દસ ટકા સુધી પહેંચી છે. સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાના કારણે દુષ્કાળની નજીકની સ્થિતિ છે. ૨૦૦૪ પછી આ પ્રકારની ઘટની સાતત્યસભર પેટર્ન જોવાઈ નથી. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ જૂનમાં જબરજસ્ત શરૂઆત કરી હતી, પરંતુ પછી તે નબળું પડી ગયું હતું. તેથી જૂનથી સપ્ટેમ્બરમાં અપેક્ષા મુજબનો વરસાદ પડ્યો નથી, છતાં પણ વર્તારો છે કે આગામી દિવસોમાં વધારે વરસાદ પડતાં આ ખાધ ઘટી શકે છે.
સરકારને વિશ્વાસ છે કે આ વર્ષે કૃષિ ઉત્પાદન ગયા વર્ષના વિક્રમ સ્તરે જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશના પૂર્વ અને ઉત્તરપૂર્વના ભાગમાં વરસાદમાં નોંધપાત્ર ઘટ જોવા મળી છે. જૂનમાં ચોમાસાની વરસાદની ખાધ પાંચ ટકા હતી અને જુલાઈ તથા ઓગસ્ટમાં આ ઘટ છ ટકા હતી. જયારે સપ્ટેમ્બરનો વરસાદ સામાન્ય વરસાદ કરતાં ૩૦ ટકા ઓછો રહેતો હોય છે.
દક્ષિણ પヘમિ ચોમાસુ પહેલી સપ્ટેમ્બરથી વિદાય લેવાનો પ્રારંભ કરે છે, પરંતુ આ વર્ષે હજી સુધી આ પ્રક્રિયા શરૂ થઈ નથી અને ઉત્તર પヘમિ તથા મધ્ય ભારત આ સપ્તાહના અંત સુધીમાં હજી પણ ભારે વરસાદનો એક રાઉન્ડ મેળવે તેવી આગાહી સરકારી તથા સ્વતંત્ર હવામાન નિષ્ણાતોએ કરી છે. ભારતીય હવામાન વિભાગના આગાહી કેન્દ્રના વડા કે સતી દેવીએ જણાવ્યું હતું કે ચોમાસાએ હાલમાં વિદાયના સંકેત આપ્યા નથી, કેટલાય વિસ્તારોમાં મોડે-મોડેથી વરસાદનો ટૂંકો સ્પેલ જોવા મળી રહ્યો છે.
ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં તથા પヘમિી ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં વરસાદનો સારો સ્પેલ જોવા મળી શકે અને પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે, તેમ સ્કાયમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંઘે જણાવ્યું હતું.
આ સંજોગોમાં દુષ્કાળની ચિંતા હળવી થશે. સીઝનમાં વરસાદની કુલ ઘટ ૧૦ ટકાથી વધારે હોય તો હવામાન કચેરી દુષ્કાળની જાહેરાત કરે છે અને કેટલાક વિસ્તારમાં દુષ્કાળનું પ્રમાણ ૨૦થી ૪૦ ટકા સુધીની ઘટના સ્વરૂપમાં જોવા મળી શકે છે. આમ ચોમાસુ સપ્ટેમ્બરના અંતે અથવા તો ઓક્ટોબરના પ્રારંભિક સપ્તાહમાં વિદાય લેવાનો પ્રારંભ કરી શકે છે. ૨૦૧૭માં આ પ્રકારની વિદાયનો પ્રારંભ ૨૭મી સપ્ટેમ્બરથી શરૂ થયો હતો.(