મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

પૂર્વ સાંસદોને એક સપ્તાહમાં સરકારી બંગલો ખાલી કરવા ખાલી કરવા આદેશ : લાઈટ અને પાણી પુરવઠો બંધ કરાશે

અંતિમ નોટિસ આપી જણાવાયુ કે સખત કાર્યવાહી માટે તૈયાર રહો

 

નવી દિલ્હી :પૂર્વ સાંસદોને અઠવાડીયામાં સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ જાહેર થયો છે. આવાસ સમિતિના અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું કે દરેક પૂર્વ સાંસદોને સરકારી આવાસ ખાલી કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે.

  અધિકારીઓને ત્રણ દિવસની અંદર આવાસોની વિજળી અને પાણીની અપુર્તિ બંધ કરવા માટે જણાવ્યું છે. ત્યારે  અધિકારીઓનું કહેવુ છે કે પૂર્વ સાંસદોને મોકલવામાં આવેલા નોટિસનો સમયગાળો પણ પુર્ણ થઈ ગયો છે. હવે તેમને અંતિમ નોટિસ આપી જણાવવામાં આવ્યું છે કે સખત કાર્યવાહી માટે તૈયાર રહે.

(11:08 pm IST)