મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

કોઇપણ અમારા આદેશને રાજનૈતિક રંગ નહી આપી શકે : રવિદાસ મંદિર પાડવા પર સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટએ સોમવારના કહ્યું કે દિલ્લીના તુગલકાબાદમાં આવેલ ગુરૂ રવિદાસ મંદિર પાડવાના તેના આદેશને રાજનૈતિક રંગ નહી આપી શકે.

કોર્ટએ કહ્યું કે દરેક વસ્તુ રાજનૈતિક નથી હોતી, દુનિયામાં કોઇ અમારા આદેશને રાજનીતિક રંગ નહી આપી શકે. કોર્ટએ દિલ્લી, હરીયાણા અને પંજાબ સરકારોને સુરક્ષા વ્યવસ્થા બનાવી રાખવાના આદેશ આપ્યા છે.

(10:36 pm IST)