News of Monday, 19th August 2019
અર્થતંત્રની સુસ્તી માટે અરૂણ જેટલીની ખોટી નીતિઓ જવાબદારઃ સુબ્રમણ્યમ સ્વામી
નવી દિલ્હી : ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે દેશમાં આર્થિક સુસ્તી પાછળ અરૂણ જેટલીની ખોટી નીતિઓ જવાબદાર છેઃ વ્યાજદર વધારવા માટે તેમણે રઘુરામ રાજનની પણ ટીકા કરી છેઃ અર્થ વ્યવસ્થાને ઠીક કરવાની જરૂર છેઃ આર્થિક મોરચે મારી સલાહ નહોતી લેવાઇઃ ૩૭૦ કલમ અંગે મારી સલાહ લેવાઇ હતી તેથી કામ યોગ્ય રીતે થયું: અર્થ વ્યવસ્થાને ઠીક કરવાની જરૂર છે.
(3:49 pm IST)