જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ દૂર કરાતાં અમેરિકાના ન્યૂજર્સીમાં જશ્નનો માહોલ : 21 ઓગસ્ટના રોજ BJP સેક્રેટરી કૈલાસ વિજયવર્ગીયની હાજરીમાં " સ્વાભિમાન દિવસ " ઉજવાશે : બાદમાં ડિનર પાર્ટી
દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : જમ્મુ કાશ્મીરમાંથી 370 અને 35 મી કલમ દૂર કરાતાં અમેરિકાના ન્યૂજર્સીમાં જશ્નનો માહોલ સર્જાયો છે.જેની ઉજવણી " સ્વાભિમાન દિવસ " તરીકે કરવાનું આયોજન કરાયું છે. 21 ઓગસ્ટ 2019 ના રોજ TVAsia ,76 ,નેશનલ રોડ ,એડિસન ન્યુજર્સી મુકામે થનારી ઉજવણીનો સમય સાંજે 6 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.
આ તકે મુખ્ય અતિથિ તથા વક્તા તરીકે ભારતના રાષ્ટ્રીય કક્ષાના BJP સેક્રેટરી કૈલાસ વિજયવર્ગીયને આમંત્રિત કરાયા છે.
ઉજવણીના આયોજકો તરીકેની કમિટીમાં શ્રી અરવિંદ પટેલ ,શ્રી ધર્મેન્દ્ર શર્મા ,શ્રી દીપેન્દ્ર સિંઘ ,શ્રી કલ્પેશ શાહ ,શ્રી ક્રિષ્ના રેડ્ડી ,શ્રી જયેશ પટેલ ,તથા શ્રી અમિત જાનીનો સમાવેશ થાય છે.
વિશેષ માહિતી માટે શ્રી દીપેન્દ્ર સિંઘ 201-275-5947 અથવા શ્રી સુભાષભાઈ શાહનો કોન્ટેક ન.732-404-0096 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.