યુપીના સહારનપુરમાં પત્રકાર અને તેના ભાઈની ઘરમાં ધુસીને ગોળી મારીને હત્યા
પાડોશી સાથે ગોબર અંગે વિવાદ થયો હતો:બંને પક્ષે ઝઘડો હોવાનું તારણ
ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ડબલ મર્ડર થયાનો કેસ સામે આવ્યો છે. શહેર કોતવાલી વિસ્તારમાં નાના વિવાદના કારણે બે ભાઈઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુનો કર્યા બાદ આરોપી ઘટનાથી ફરાર થયો હતો
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફોરેન્સિક વિભાગની ટીમે પુરાવા લઈ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘટના બાદ સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના સહારનપુર જિલ્લાના કોતવાલી વિસ્તારના ગઢી મલૂકની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પડોશમાં રહેતા રાણા ડેરીના લોકો સાથે ગોબર અંગે વિવાદ થયો હતો. આ બાબતે બંને પક્ષે ઝઘડો થયો હતો. જેમાં પત્રકાર આશિષ અને તેના ભાઈની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. ગોળીથી ઘાયલ આશિષ અને તેના ભાઈને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેએ દમ તોડી દીધો હતો. આ સનસનાટીભર્યા બનાવથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.