News of Monday, 19th August 2019
અયોધ્યામાં આવેલા રામલલ્લા મંદિરના મુખ્ય પૂજારી તથા 8 સેવકોના પગારમાં વધારો કરાયો : 2017 ની સાલ સુધી 8500 રૂપિયા માસિક પગાર મેળવતા સેવકો હવે 10000 થી 30000 રૂપિયા સુધીના પગાર મેળવશે
અયોધ્યા : 1992 ની સાલમાં બાબરી ધ્વંસ પછી સુપ્રીમ કોર્ટ દ્વારા કેર ટૈકર તરીકે નિમાયેલા મુખ્ય પૂજારી શ્રી સત્યેન્દ્ર દાસ માત્ર 150 રૂપિયા પગાર મેળવતા હતા જેઓને 2017 ની સાલમાં 8480 રૂપિયા પગાર મળતો હતો.તેથી તેમની માંગણીને ધ્યાને લઇ યુ.પી.સરકારે મુખ્ય પૂજારી તથા 8 સેવકોના પગાર વધાર્યા છે.જેઓ હવેથી 7500 રૂપિયાથી 30000 હજાર રૂપિયા સુધીનો પગાર મેળવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(11:11 am IST)