મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી બદલાશે? દિગ્વિજયસિંહના ટ્વીટથી રાજકારણ ગરમાયુ : સીએમ પદની રેસમાં બે નામ પણ મુક્યા

મોદીજીના ઉમેદવાર પ્રહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા. અન્ય ઉમેદવારો પ્રત્યે મારી સહાનુભૂતિ

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી બદલાશે તેવો ચોંકાવનારો દાવો કર્યો છે. આ સાથે દિગ્વિજય સિંહે નવા મુખ્યમંત્રી પદની રેસમાં 2 મુખ્ય દાવેદારોના નામ પણ જણાવ્યા છે

દિગ્વિજય સિંહે ટ્વિટ કરી હતી કે મધ્ય પ્રદેશ ભાજપમાં મુખ્યમંત્રી બનવાની રેસમાં 2 જ ઉમેદવાર રેસમાં છે. મોદીજીના ઉમેદવાર પ્રહલાદ પટેલ અને સંઘના ઉમેદવાર બીડી શર્મા. અન્ય ઉમેદવારો પ્રત્યા મારી સહાનુભૂતિ છે. પરંતુ મામુનું પદ જશે એ નિશ્ચિત છે.

દિગ્વિજય સિંહની ટ્વિટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જોકે દિગ્વિજય સિંહના નિવેદન પર ભાજપ નેતાઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામા આવી નથી.

બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજે એક દિવસ પહેલા જ દિગ્વિજય સિંહની વાતો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ શિવરાજ સિંહ હસતા મોઢે ત્યાંથી નિકળી ગયા હતા. આ મુદ્દો એક મહિના પહેલા જ ગૂંજ્યો હતો. ત્યારે ભાજપના દિગ્ગજોએ જણાવ્યું હતુ કે મધ્ય પ્રદેશમાં નેતા શિવરાજ સિંહ જ રહેશે.

(7:50 pm IST)